મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે

તા.૧૬.૪.૨૦૨૦ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરુ થયા ત્યારે હવે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઓફિશ્યલી પ્રેસ રિલીઝ કરી જણાવ્યું છે. કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. મુખ્યમંત્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment